સોમવાર, 27 એપ્રિલ, 2009

Jay Jalaram

‘જે દે ટુકડો તેને પ્રભુ ઢૂકડો’ની યુકિત ચરિતાર્થ કરનાર જલારામ બાપાનો જન્મ ૫-૧૧-૧૭૯૯ (સં ૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવાર)ના રોજ વીરપુર ગામે થયો હતો. પિતાનું નામ પ્રધાન ઠક્કર તથા માતાનું નામ રાજબાઇ હતું. જલારામને ગામઠી નિશાળમાં ભણવા મૂકયા, પરંતુ ચિત્ત ભણવા ગણવામાં લાગ્યું નહીં. આખો દિવસ ભકત પ્રહ્લાદની જેમ ભગવાનનો જપ કરે જયાં સાધુ-સંત નજરે પડે તો હાથ પકડીને ધેર જમવા તેડી લાવતા. પિતાજીને ડર લાગવા લાગ્યો કયાંક આ મોટો થઇને સાધુ ન બની જાય માટે પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઇ સાથે જલારામનાં લગ્ન સોળ વર્ષની ઉંમરે થઇ ગયાં.


ભોજાભગતને તેમણે ગુરુ બનાવ્યા હતા. સં. ૧૮૭૬ મહા સુદ-બીજના દિવસે જલારામ બાપાએ ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત શરૂ થયાને થોડાં દિવસ થયા હશે, એવામાં એક દિવસ એક સંત મહાત્મા આવી ચડયા. જલારામની ‘સંતસેવા’ જોઇને એક લાલજીની મૂર્તિ આપી કહ્યું, ‘ભગત’ આની સેવા કરજૉ! હરિહર તમને રિદ્ધિ સિદ્ધિની ખોટ આપવા નહીં દે! અને તમારી આ જગ્યામાં આજથી ત્રીજે દિવસે સ્વયં હનુમાનજી પ્રગટ થશે. ત્યાર બાદ જલારામજી લાલજી અને હનુમાનજીની પૂજા કરવા માંડી ત્યાં નાનકડાં આશ્રમ જેવું બની ગયું. એક વાર વધારે સંખ્યામાં સાધુ સંતો આવી ચડયા. સંઘરેલો દાણો ખલાસ થઇ ગયો. આથી વીરબાઇએ ભગતને બોલાવી માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દઈ કહ્યું, ‘આ વેચી આવો અને આંગણે આવેલાને રોટલો ખવડાવો.’ ભગત મનમાં પ્રસન્ન થઇ બોલ્યા, ‘ઓહોહો! શું દિલ છે આ બાઇનું! એનાં તો અંતરમાં કમાડ ઘડી ગયાં છે!’


આ પ્રમાણે આજે પણ બાપા ચમત્કારો કરે છે. અનેકની મનોકામના પૂર્ણ કરે છે. બાપાના પગલે પગલે આજ ગુજરાતમાં અનેક સદાવ્રતો શરૂ થયાં છે અને ચાલતા રહેશે. આ મહાન રામ સેવક, ગરીબોના બેલી સંવત ૧૯૩૭ મહા-વદ-દશમે બુધવારે તા. ૨૩-૨-૧૮૮૧ના રોજ ભજન કરતાં કરતાં એકયાસી વર્ષે વૈકુંઠવાસ કર્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો